મારી વાત ભાગ -૩
"બહુ હોશિયારી નું કામ નથી "
આ જગતમાં અલગ અલગ પ્રકૃતિ ધરાવતા લોકો રહે છે. મોટા ભાગના લોકો સફળતા માટે
લખલૂટ પ્રયાસો કરે છે અને સફળતાને પણ વરે છે. આ સફળતા મેળવવાની પ્રક્રિયા દરમ્યાન માણસ પોતાના જીવન નો કીમતી સમય ને ખોઈ બેસે છે અને જીવનમાં જે તે ક્ષેત્રમાં સફળ થયા પછી પણ માણસને હજુ કૈક ખાલીપો રહ્યા કરે છે. આ માણસ પાસે લાખો કરોડો ની ધન સંપતિ હોવા છતાં શાંતિ રહેતી નથી.
સફળતાની વ્યાખ્યા માત્ર નાણાકીય સદ્ધરતા જ નથી પણ તંદુરસ્તી અને મનદુરસ્તી પણ હોવી ખપે. સાથે મન ના આનંદ માટે મન ને ગમતી પ્રવૃત્તિઓ કરવી જ રહી. તમારા શોખ પુરા કરવા બહુજ જરૂરી છે. આ જગતમાં બહુ હોશિયાર લોકો તો છે જ અને છેતરનારા પણ બહુ જાજા છે , પરંતુ છેતરવા કરતા છેતરાય જવામાં મજા રહેલી છે.
આ જગતમાં સુખી થવા બહુ હોશિયારી નું કામ નથી પરંતુ ભોળા હૃદયથી સેવા, સત્કર્મ અને ત્યાગની ભાવના વાળા વ્યક્તિઓ સાચા જીવન નો આનંદ માણી શકે છે.
લે. કેતન મોટલા "રઘુવંશી"
આ જગતમાં અલગ અલગ પ્રકૃતિ ધરાવતા લોકો રહે છે. મોટા ભાગના લોકો સફળતા માટે
લખલૂટ પ્રયાસો કરે છે અને સફળતાને પણ વરે છે. આ સફળતા મેળવવાની પ્રક્રિયા દરમ્યાન માણસ પોતાના જીવન નો કીમતી સમય ને ખોઈ બેસે છે અને જીવનમાં જે તે ક્ષેત્રમાં સફળ થયા પછી પણ માણસને હજુ કૈક ખાલીપો રહ્યા કરે છે. આ માણસ પાસે લાખો કરોડો ની ધન સંપતિ હોવા છતાં શાંતિ રહેતી નથી.
સફળતાની વ્યાખ્યા માત્ર નાણાકીય સદ્ધરતા જ નથી પણ તંદુરસ્તી અને મનદુરસ્તી પણ હોવી ખપે. સાથે મન ના આનંદ માટે મન ને ગમતી પ્રવૃત્તિઓ કરવી જ રહી. તમારા શોખ પુરા કરવા બહુજ જરૂરી છે. આ જગતમાં બહુ હોશિયાર લોકો તો છે જ અને છેતરનારા પણ બહુ જાજા છે , પરંતુ છેતરવા કરતા છેતરાય જવામાં મજા રહેલી છે.
આ જગતમાં સુખી થવા બહુ હોશિયારી નું કામ નથી પરંતુ ભોળા હૃદયથી સેવા, સત્કર્મ અને ત્યાગની ભાવના વાળા વ્યક્તિઓ સાચા જીવન નો આનંદ માણી શકે છે.
લે. કેતન મોટલા "રઘુવંશી"
Post a Comment